કાવ્ય: નરેન્દ્રએ ધૂણી ધખાવી

4.29 stars - 286 reviews

આદરણીય મિત્રો માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક જીલ્લામાં યોજાતા " સદભાવના મિશન" અંતર્ગત
આણંદ જીલ્લામાં અક્ષર ફાર્મ ખાતે  ૩૧ જાન્યુઆરી ૨૦૧૨ના કાર્યક્રમમાં અમારા ગામના સ્વાતંત્ર્ય સેનાની આદરણીય 
શ્રી મહીજીકાકાને સાથે લઈને જવાનો લહાવો પ્રાપ્ત થયો. તે જ દિવસે સવારે થોડા શબ્દો સ્ફૂર્યા ને કાગળ પર રેલાઈ
ગયા જે શબ્દોને કાર્યક્રમમાં લોક સંગીત પીરસતા ગાયકો દ્વારા રજુ કરાયા  હતા તે કાવ્ય આપ સમક્ષ રજુ કરું છું. સાથે થોડા
ફોટા તે પ્રસંગના રજુ કરું છું.

ગરજી રહ્યો છે  ગિરનાર ને ગાજી ઉઠ્યું  છે ગુજરાત
 
સુવર્ણ કળશનાં સ્થાપન થકી બન્યું સુવર્ણ ગુજરાત
 
સદભાવના કેરો સંદેશ દઈને  જિલ્લે ઉપવાસ કીધા
 
સર્વેનો સાથ લઈને ગુજરાત વિકાસનાં પ્રણ   લીધાં
 
રણોત્સવ,પતંગોત્સવ પ્રેમે બિનનિવાસીને આવકાર્યા
 
ગુજરાતના વિકાસ સ્વપ્નને સાકાર કરવા તપ ધર્યાં
 
પ્રેમ પામી પ્રજાનો  ગરવા ગુજરાતની ગરિમા ગજાવી
 
તન મન ને વચન થકી નરેન્દ્રએ અનેરી ધૂણી ધખાવી.
 
========================================
સ્વપ્ન જેસરવાકર (લોસ એન્જલસ , અમેરિકા)
વતન- જેસરવા, તા.પેટલાદ. જીલ્લો.આણંદ

 

 

Post/View Comment